સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ધડીયા
ટાળ્યાં તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના ધડીયા
સુખ દુઃખ મનમાં............
હરિચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી
વિપત બહુ પડી, ભરીયા નીચ ઘેર પાણી
સુખ દુઃખ મનમાં...............
નળ રે રાજા સરખો નર નહિ, જેને દમયંતી નારી
અડધા વસ્ત્રે વન ભોગવ્યા, ના મળે અન્ન કે
સુખ દુઃખ મનમાં..............
પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રૌપદી રાણી
બાર રે વરસ વન ભોગ વ્યન્ધ, નયને નિદ્રા ના આણી
સુખ દુઃખ મનમાં...............
સીતા રે સરખો સતી નહિ, જેના રામજી સ્વામી
તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી
સુખ દુઃખ મનમાં..............
રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી
દશ મસ્તક તો છેડાઈ ગયો, બધી લંકા લુંટાણી
સુખ દુઃખ મનમાં.............
શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી
ભીલડી એ તેમને ભોડવીયા, તપમાં ખામી કહેવાણી
સુખ દુઃખ મનમાં..............
સર્વે દેવો ને જયારે ભીડ પડી, સમર્યા અંતર્યામી
ભાવટ ભાગી ભુંદરે, મહેતા નરસિંહ ના સ્વામી
સુખ દુઃખ મનમાં............
No comments:
Post a Comment