નૈયા ઝુકાવી મેતો જો જે ડૂબી જાયે ના
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના / (2)
સ્વાર્થ નું સંગીત ચારેકોર ગાજે (2)
કોઈ નથી, કોઈ નું આ દુનિયા માં આજે
તન નો તંબુર જો જે બેસુરો થાયે ના
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના
નૈયા ઝુકાવી મેં............
પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા (2)
રાગ ને દ્વેષ આજે ઘટ - ઘટ ઘૂંટાતા
જો જે આ જીવતર માં ઝેર પ્રસરાયે ના
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના
નૈયા ઝુકાવી મેં.............
શ્રદ્ધા ના દીવડા ને જલતો જ રાખજે (2)
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મન ના મંદિરે જો જે અંધારું થાય ના
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના
નૈયા ઝુકાવી મેં..............
No comments:
Post a Comment