મારી નાડ તમારે હાથ હરિ સાંભળજો રે
મુજને પોતાનો જાણીને, પ્રભુ પદ પાળજો રે
પથપા પથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે
અનાદિ આપ જ વેદ છો સાચા, કોઈ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે
વિશ્વેશ્વ્ર શું હજી વિચારો, બાજી હાથ છતાં કા હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે
કેશવ હરિ મારુ શું થાશે, ધાણ વળ્યો શું ગઢ ઘેરાશે
લાજ તમારી જાશે ભૂધાર ભાળજો રે
No comments:
Post a Comment